નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ભરૂચ આયોજિત 27માં વાર્ષિક વિજ્ઞાન મેળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વરની ધોરણ-૩માં અભ્યાસ કરતી કેશ્વી પટેલ, જેમણે ભરૂચ જિલ્લાની 36 શાળાઓમાંથી ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય નંબરે પાસ થતાં ગુરુકુલીય ગુણવત્તાનું ગૌરવ વધાર્યું હતું. આ ગૌરવવંતી ક્ષણે સંસ્થાના વડા પૂજ્ય ગુરુજીએ અંતરના રાજીપા સાથે દીકરીને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્યા સહીત શિક્ષકમિત્રોનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતુ. આ સરાહનીય સિદ્ધિ બદલ સૌને ગુરુકુલ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.