થરા પોલીસ ની લાલ આંખ,, કાંકરેજ ના થરા  નાા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જાડેજા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં શાળાઓમાંથી અરજીઓ મળતા થરા PSI સહિત સ્ટાફ એ લાલ આંખ કરી છે.psi એ જણાવ્યું હતું કે થરા તેમજ આજુબાજુ ના વિસ્તારો ના તમામ યુવાન મિત્રો ને જણાવવાનું કે શાળા ઓ ચાલુ થવાના સમયે એટલે કે ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાકે તેમજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ કલાક સુધી થરા શહેર ની તમામ શાળા ની આજુબાજુ કોઈએ કામ વગર આંટા ફેરા મારવા નહીં અને પોતાના બાઈક ની નંબર પ્લેટ લગાવ્યા વગર ફરવું નહીં.નહિતર થરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવી પડશે. તેમજ પોલીસ પોલીસ નું કામ કરશે જેની તમામ દરેક આગેવાનો તથા ગામલોકો એ નોંધ લેવી. કોઈ બેન દીકરી ને હેરાન પરેશાન કરતો હોય તો ૦૨૭૪૭૨૨૨૨૨૨ અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરવો તેમજ ફોન કરનાર નું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.જો હવે રોમિયોગિરી કરી તો ખેર નથી...