જસદણના ચિતલીયા રોડ પર રહેતી મહિલા 5/7/2022 ના રોજ લાપતા થતા રાજકોટ SOGની તાપસ દરમિયાન સિંગાપોર મળી આવી જસદણ પો.સ્ટે ગુમસુધા નંબર-૩૧/૨૦૨૨ તા-૦૫/૦૭/૨૦૨૨ ના કામે ગુમ થનાર હનીબેન ડૉ/ઓ સુરેશભાઇ નારણભાઇ હિરપરા જાતે-પટેલ રહે, જસદણ ચિતલીયા કુવા રોડ, કાનજીપરા શેરી નંબર-૨ તા-જસદણ જી-રાજકોટ વાળા ગઇ તા-૦૫/૦૭/૨૦૨૨ ના રોજ સવારના સાતેક વાગ્યાની આસપાસ કોઇને કહ્યા વગર આપમેળે પોતાના ઘેરથી જતા રહેલ હોય જેની તપાસ કરતા હનીબેન અમરેલી જીલ્લાના સાંવરકુંડલા તાલુકાના જોગી દાસ આંબરડી ગામના રહેવાશી નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી હાલે સિંગાપોર દેશમાં રહેતા હોય, જે હકિકત આધારે ગુમથનાર હનીબેનના પિતા સુરેશભાઇ નારણભાઇ હિરપરા જાતે-પટેલ ઉ.વ-૪૬ ધંધો-ખેતી રહે, જસદણ ચિતલીયા કુવા રોડ,કાનજીપરા શેરી નંબર-૨ તા-જસદણ જી-રાજકોટ વાળાનો સંપર્ક કરી,સોશ્યલ મિડીયા વ્હોટસેપ વિડીયો કોલ મારફતે ગુમથનાર હનીબેન તથા તેમના પિતા સુરેશભાઇ તથા બન્ને પરિવારના સભ્યોને વાત-ચિત કરાવેલ હોય, તેમજ ગુમથનાર હનીબેને રાજી-ખુશીથી નિહારભાઇ વિનોદભાઇ વેકરીયા રહે, જોગીદાસ આંબરડી તા-સાવરકુંડલા વાળા સાથે ગઇ તા-૦૫/૦૭/૨૦૨૨ ના રોજ બગસરા તાલુકાના હામાપર ગામ ખાતે પ્રેમ લગ્ન કરી લીધેલ હોય, જે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ રજુ કરેલ હોય અને હાલે ગુમથનાર હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપોર દેશમાં રહેતા હોય, નિહારભાઇ કાફે મેનેજમેન્ટનો કોર્ષ કરતા હોય, તેમજ બે વર્ષ સુધી હનીબેન તથા તેમના પતિ નિહારભાઇ બન્ને સિંગાપુર,૨૩-ગેયલોંગ રોડ-૩૮૯૧૯૨ વાળા એડ્રેસ ખાતે રહેવાના હોય, જે હકિકતથી હનીબેનના પિતા સુરેશભાઇને વાકેફ કરતા. સુરેશભાઇ નારણભાઇ વેકરીયાએ પણ પોતાના નિવેદનમાં જણાવેલ હોય કે, તેમની દિકરી હની તેના પતિ નિઝારભાઇ વિનોદભાઇ વેકરીયા સાથે પ્રેમ લગ્ન કરી રાજીખુશીથી હાલે સિંગાપુર રહેતી હોય અને પોતાની પુત્રીની ગુમ અંગેની વિગત જાણવા મળતા સદરહુ ગુમસુધા પરત હતી