દાંતીવાડા તાલુકાની વિજય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો.જેમાં બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.આ વિજ્ઞાન મેળામા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ,સંસ્થાના પ્રમુખ, સામાજિક અને રાજકીય આગેવાનો,અધિકારીઓ સહિત સંસ્થાના હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.!!