દાહોદ જિલ્લામાં તાલુકા - જિલ્લા - સ્વાગત કાર્યક્રમ યોજાશે, ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ ડિસેમ્બરે, બુધવારે સવારે ૧૧ કલાકે તેમજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ ડિસેમ્બર, ગુરૂવારે સવારે ૧૧ કલાકે યોજાશે.  

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469/દાહોદ 

તદ્દનુસાર, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઝાલોદ ખાતે કલેક્ટરશ્રી, ગરબાડા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, લીમખેડા ખાતે પોલીસ અધિક્ષકશ્રી, ધાનપુર ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી, લીમખેડા, સીંગવડ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી, ફતેપુરા ખાતે નિયામકશ્રી, ડીઆરડીએ, સંજેલી ખાતે પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ, દાહોદ ખાતે પ્રાંત અધિકારીશ્રી, દાહોદ તેમજ દેવગઢ બારીયા ખાતે પ્રાંત અધિકારીશ્રી, દેવગઢ બારીયા ઉપસ્થિત રહેશે. 

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને ‘ તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજી મથાળે લખી અરજી ૧૫ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. 

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે કલેકટર કચેરીને ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીના મથાળે લખી અરજી ૧૫ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. દાહોદના નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં ઉક્ત માહિતી આપી છે.