આજરોજ અમદાવાદ શહેર પુર્વ ઝોનમા આવેલ વસ્ત્રાલ વોર્ડ મા આર ટી ઓ રોડ ભોલેનાથ ફાર્મ પાસે ચાલુ ફરજ દરમિયાન સફાઇ કામદાર બંસીભાઈ કાળીદાસ ઉપર અસામાજીક તત્વો ધ્વારા જીવલેણ હુમલો કરવામા આવ્યો.તેઓ ખૂબ ગંભીર રીતે ઘાયલ થતા તેમને એલ જી હોસ્પિટલ મા દાખલ કરવામા આવ્યા છે.અમદાવાદ શહેર ના વિવિધ સાત ઝોનમા આવા અનેક ગરીબ કચડાયેલા સફાઈ કામદારો ઉપર અજુલ્મી ઘાતકી હુમલા થાય છે તેવુ અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ એસોશીયન ના પ્રેસીડેન્ટે નોકર મંડળ તથા તેમના સભ્યોએ જણાવેલ  કે સફાઈ કામદારોને ડિવાઈડરની સફાઈની કામગીરી સોંપતા ટ્રાફીકના કારણે સફાઈ કામદારો એકસીડન્ટ નો ભોગ બને છે અને તેમનુ મૃત્યુ થતા તેમના પરીવાર નિરાધાર બને છે.

અવારનવાર જવાબદાર અધિકારીઓ ને જાણ કરવા છતા હુમલો કરનાર સામે કોઈ પણ જાતના પગલા લેવામા આવતા નથી.તેમજ જવાબદાર અધિકારીઓ પોલીસ ફરિયાદ પણ કરતા નથી.આ અંગે એસોશીયન ધ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ને જાણ કરવામા આવેલ અને હુમલો કરનાર ગુનેગારોને પકડી તેમને સજા કરવા દંડ કરવા ન્યાયી માંગણી પણ કરેલ.