ગુજરાત રાજ્યમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની મતગણતરી તા. ૮ ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભાવિન પંડ્યાએ મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સલામતી સાથે સુચારૂ રીતે યોજાય તે માટે પી એન પંડ્યા કોલેજ,લુણાવાડા ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

              મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભાવિન પંડ્યાએ ઇ.વી.એમ.રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કોન્ફરન્સ રૂમ, કંટ્રોલ રૂમ, મીડીયા રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.