સુરેન્દ્રનગર મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં અનૈતિક સબંધ બાંધવાના દબાણથી વ્યંઢળે યુવાનને બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે આ વ્યંઢળની દ્વારકાથી ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી.આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધીરૂભાઇ પરાલીયાને યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા (રહે. 80 ફૂટ રોડ એસપી સ્કૂલ પાસે) નામના વ્યંઢળ સાથે અનૈતિક સબંધ હતો. બંને ઘણા સમયથી આવા સબંધથી જોડાયેલા હતા.પરંતુ થોડા સમયથી સનાયા આ સબંધ રાખવાની ના પાડતી હતી. સામે ધીરૂભાઇ સબંધ બાંધવા દબાણ કરતો હતો.આથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો.બાદમાં ધીરૂભાઇના ત્રાસથી કામ છૂટવા માટે યોગેશ ઉર્ફે સનાયાએ્ યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરી અને સળગાવ્યો હોવાની કબુલાત કરી છે હાલમાં યુવાન અમદાવાદ ખાતે સારવારમાં છે ત્યારે દ્વારકાથી વ્યંધળ ધરપકડ કરી અને સુરેન્દ્રનગર લાવવા માટેની તજવી જાતજ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકમાં કેસરીદેવસિંહ ઝાલા સહિત 35 લોકોએ દાવેદારી નોંધાવી
વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકમાં મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિત 35 લોકોએ દાવેદારી નોંધાવીમોરબી...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ સોશ્યલ મીડિયામાં હથિયારોનો વેપાર કરતા 3 આરોપીઓની કરી ધરપકડ
આરોપી પાસે 3 હથિયાર અને 16 જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા. મધ્યપ્રદેશથી સસ્તા હથિયાર ખરીધી...
বানফেৰা বাগিচা প্ৰাথমিক বিদ্যালয়ৰ উদ্যোগত "প্ৰভাত ফেৰী"।
বানফেৰা বাগিচা প্ৰাথমিক বিদ্যালয়ৰ উদ্যোগত "প্ৰভাত ফেৰী"।
"হৰ ঘৰ তিৰংগা" কাৰ্যসূচীৰ বিষয়ে...
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
পশ্চিম অভয়পুৰ সমবায় সমিতিত সাধাৰণ সভা অনুষ্ঠিত
পশ্চিম অভয়পুৰ সমবায় সমিতিত সাধাৰণ সভা অনুষ্ঠিত
আজি পশ্চিম অভয়পুৰ সমবায় সমিতি বাৰ্ষিক সাধাৰণ...