તિલકવાડાના રોજાનાર ગામના 45 વર્ષીય ઇસમે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

તિલકવાડા તાલુકાના રોજાનાર ગામના વતની 45 વર્ષીય ઈસમ જેઓના લગ્ન નહી થતા તેઓ એકલતા નો અનુભવ કરતા હોવાથી તેઓનવ મનમાં લાગી આવતા તેઓએ કપાસમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામના રહેવાસી રમેશભાઈ હિંમતભાઈ બારીયા ઉંમર વર્ષ 45 નાઓ ના લગ્ન નહીં થવાને કારણે તેઓ એકલતાનો અનુભવ કરતા હોય જેના કારણે તેઓને મનમાં આઘાત લાગી આવતા તેઓ તારીખ 2 / 12 / 2022 ના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન રોજનાર ગામે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેમના પરિજનો તેઓને સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાત્રીના પોણા દસ વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓનું મરણ થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ ને થતા તિલકવાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે