ભાજપના નિર્વિવાદીત કાર્યકર અને પ્રજાપતિ સમાજના અગ્રણી અજાતશત્રુ સંસદસશ્રી દિનેશભાઇ અનાવડીયાના અધ્યક્ષસ્થાને પ્રજાપતિ સંમેલન યોજાયા

 ડીસા (મેરૂજીપ્રજાપતિ)ડીસાઅને દિયોદર વિધાનસભા ના ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા ડીસા અને લાખણી ખાતે પ્રજાપતિ સમાજ ના સંમેલનો માં પ્રજાપતિ સમાજના અગ્રણી અને રાજ્યસભાના સંસદ શ્રીદીનેશભાઇ અનાવડીયાએ ભાજપને વિજયી બનાવવા સમાજને અપીલ કરેલ.ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈમાળીના સમર્થનમાં ડીસા શુભમ કોલ્ડસ્ટોરેજ ખાતે અને દિયોદર ઉમેદવાર કેશાજી ચૌહાણના સમર્થન માં લાખણી ખાતે પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયેલ.ભાજપ ના સ્થાપના કાળથી કોઈપણ અપેક્ષા વગર પ્રજાપતિસમાજ રાષ્ટ્ધર્મ ની વાત સાથે ભાજપની સાથે રહ્યોંછે.અને આ અતિશયયોક્તિ નથી પણ સત્યછે.જ્યાં-જ્યાં પ્રજાપતિઓની સંખ્યા છે.તે બુથમાં ભાજપને લીડમળેલ જોવામળશે. પ્રજાપતિસમાજમાંથી ભાજપના એક માત્ર પ્રજાપતિ આગેવાન અને ભાજપે જેમની વફાદારી અને મહેનતાણાના શિરપાવ રૂપે રાજ્યસભા ના સંસદ બનાવ્યા છે.તેવા દિનેશભાઈ અનાવડીયા રાષ્ટ્ધર્મ અને પાર્ટીના સંગઠનમાં વર્ષોથી સ્ક્રીયરહી પાર્ટી ગમે તે ઉમેદવાર મૂકે દિનેશઅનાવડીયા ભાજપનું કમળ ખીલવવા હંમેશા પ્રયત્નશીલ હોય છે.પાર્ટીમાં કોઈપણ પ્રકારનો વિવાદ હોય દિનેશભાઇ અનાવડીયા વિવાદો અને જૂથવાદથી દૂરરહી ભાજપ માં અજાતશત્રુનું બિરુદ મેળવેલ છે. ત્યારે પ્રજાપતિ સમાજ જ દાવો કરી શકે છે.કે અમારો સમાજ ભાજપનો સમર્થક રહ્યો છે. અને ભાજપ પણ પ્રજાપતિ સમાજ ને પોતીકો માને છે.ત્યારે આજરોજ લાખણી ખાતે દિનેશભાઇ અનાવડીયા ની ઉપસ્થિતી માં પ્રજાપતિ સમાજે ભાજપને સમર્થન આપી ભાજપની જીત માં સહભાગી બનવા કટિબદ્ધતા દર્શાવેલ.