ધોળીધજા ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે દોડી ગયા હતા.આ તરતી હાલતમાં લાશને બહાર કાઢી હતી. લાશ અંગેની જાણકારી સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશને આપતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી રહી છે. આ લાશ ડેમમાંથી મળી આવી છે. ત્યારે આ લાશ કોની છે ? અને આત્મહત્યા કરી છે ? કે કોઈ આ ડેડ બોડી ડેમમાં નાખી ગયું છે ? જેની પણ તપાસ હાલમાં પોલીસે હાથ ધરી છે. લાશનો કબજો મેળવી અને હાલમાં સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.