વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરવાના છે. બીજી તરફ કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.