ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાં ઘણી એવી બેઠકો છે, જ્યાં આ વખતે બે કે તેથી વધુ પક્ષો વચ્ચે રાજકીય મુકાબલો ખૂબ રસપ્રદ બન્યો છે. એમાંથી એક બેઠક એટલે સુરતની વરાછા વિધાનસભા બેઠક. આ બેઠક પર ભાજપના તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. વર્ષ 2012 અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી જીતી ગયા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની લહેર હોવા છતાં પણ ભાજપના કુમાર કાનાણી જીતી ગયા અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પણ બન્યા, પરંતુ આ વખતે કનાણીને મજબૂત ટક્કર આપી રહ્યા છે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા