ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે સાડા ચાર વર્ષ પુર્વે સરપંચની ચુંટણીમાં એક શખ્સને બિન હરીફ સરપંચ રહેવુ હોય પરંતુ યુવાને તેને સમર્થન ન આપ્યાની દાઝ રાખી શખ્સોએ અવાર નવાર ઝઘડા કરી યુવાન ઉપર હુમલો કરી લાકડી, કુહાડી જેવા હથીયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સંદર્ભે સાત શખ્સ સામે ફરીયાદ નોંધાવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે રહેતા હર્ષદભાઈ નાનાભાઈ બાટ્ટીએ તળાજા પોલીસ મથકમાં આજ ગામના ધીરૂ બાપાભાઈ, મધા બાપાભાઈ, વીજદાન બાપાભાઈ, ગીગા બાપાભાઈ, કુલદીપ ગીગાભાઈ, યુવરાજ ગીગાભાઈ, કેસર ઉર્ફે ટીડો રાજવીરભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી કે, અગાઉ ચારેક વર્ષ પહેલા ગામની સરપંચની ચુંટણીમાં વિજદાનભાઈને બીનહરીફ સરપંચ રહેવુ હોય પરંતુ તેઓએ તેને સમર્થન આપેલ ન હોય તે વાતનું મનદુઃખ રાખી ઉક્ત તમામ અવાર નવાર ઝઘડાઓ કરતા હોય જે ઝઘડાની દાઝ રાખી ગઈકાલે તેના દિકરા જયપાલભાઈ માવા લેવા માટે ગામમાં ગયેલ ત્યારે ઈશુભાઈએ આ રોડ તારા પિતાનો નથી. અહીથી ચાલવાનું નહી તેમ કર્યા બાદ ધીરૂ, વિજદાન, બાપાભાઈ અને ગીગા ચારેય ભાઈઓએ તેના ઘરે આવી લાકડી, કુહાડી જેવા હથીયારો ધારણ કરી તમામે તેના પર હુમલો કરી લાકડી, પાઈપ અને કુહાડીની મુંધરાટીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. બાદ કુલદીપ, યુવરાજ અને ટીડાએ આવી આડેધડ લાકડીના ઘા ફટકારી જો આ બનાવ અંગે કોઈ પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. દરમિયાન તેઓને ઈજાગ્રસ્ત હાલતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত পইণ্ট ২২ পিষ্টল সহ এজনক আটক
সোণাৰিত পইণ্ট ২২ পিষ্টল সহ এজনক আটক।
সোণাৰি বাঁহবাৰীৰপৰা আটক দিগন্ত সন্দিকৈ(জান) নামৰ লোকজনক...
सकारात्मक सोच के साथ अध्यापन कार्य करें शिक्षक
सकारात्मक सोच के साथ अध्यापन कार्य करें शिक्षक
बुनियादी साक्षरता एवं संख्या ज्ञान शिक्षक...
भाजपा बनाएगी देश में 10 करोड़ नए सदस्य, पीएम मोदी भरेंगे पहला फॉर्म!
भारतीय जनता पार्टी ने संगठन का विस्तार करने के लिए 10 करोड़ सदस्य बनाने की तैयारी की है। एक...
হোজাইত এজন ছাত্ৰৰ মৃত্যুক লৈ উত্তেজনা
হোজাইত বদৰুদ্দিন আজমলৰ স্বেচ্ছাসেৱী সংস্থা মৰ্কজুল মা ৰিফৰ দ্বাৰা পৰিচালিত মৰ্কজুল একাডেমীৰ...
विश्व में एक साल में बढ़े 88 प्रतिशत खसरे के मामले, कारण चौंकाने वाला आया सामने
नई दिल्ली। विश्व में खसरे के मामलों में वर्ष 2022 की तुलना में 2023 में 88 प्रतिशत की...