ચોટીલા વિધાનસભા બેઠકના આપના ઉમેદવારે ખેડૂતોને એક ગેરંટી આપી છે. ખેડૂત મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ હુંકાર સાથે વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટેની નવી ગેરંટી આપી હતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તોરમાં પાણી પહોંચાડીને રહીશ અને જો 'પાણી ન પહોંચાડું તો મારા પર છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે' સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની આપના ઉમેદવાર રાજુ કરપડાએ તૈયારી દર્શાવી હતી. ત્યારે ચોટીલા તાલુકાના રાજપરા ગામે જાહેર સભામાં ચોટીલા-થાન મુળી વિસ્તારના ખેડૂતોના સિંચાઈના પાણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવાર રાજુ કરપડાએ એફિડેવિટ કરીને જાહેરાત કરી છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં આ વર્ષે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે ચોટીલામાં પણ આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જેમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા, ભાજપના શામજી ચૌહાણ અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે કાંટાનો મુકાબલો છે. ચોટીલા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ ખેડૂતોને હુંકાર સાથે નવી ગેરંટી આપી છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટેની નવી ગેરંટી આપી હતી.રાજુ કરપડાએ ચોટીલાના આણંદપુર ગામમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે હુંકાર કરતા કહ્યું હતું કે, ચોટીલાના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા છે. ચૂંટણીમાં જીત બાદ જો તેઓ સિંચાઈનું પાણી ગ્રામ્ય વિસ્તારો સુધી ન પહોંચાડે તો તેમના પર મતદારો છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે. આના માટે તેમણે સ્ટેમ્પ પેપર પર નોટરી કરવા પણ તૈયારી દર્શાવી હતી. અને આજે ચોટીલા તાલુકાના રાજપરા ગામે જાહેર સભામાં ચોટીલા-થાન મુળી વિસ્તારના ખેડૂતોના સિંચાઈના પાણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવાર રાજુભાઈ કરપડાએ એફિડેવિટ કરીને જાહેરાત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ain न्यूज चॅनलचे पत्रकार महावीर जैस्वाल याना AISF वैद्यकीय समितीचा आदर्श पुरस्कार जाहीर.
फुलंब्री :- शैलेंद्र खैरमोडे
तालुक्यातील पाल येथील ain न्यूज...
Breaking News: बहराइच में आदमखोर भेड़िए का आतंक जारी, 28 साल की महिला पर भेड़िए ने किया हमला
Breaking News: बहराइच में आदमखोर भेड़िए का आतंक जारी, 28 साल की महिला पर भेड़िए ने किया हमला
Nuh Mewat News: नूंह में इंटरनेट बंद, कर्फ्यू लागू | R Bharat
Nuh Mewat News: नूंह में इंटरनेट बंद, कर्फ्यू लागू | R Bharat
सावली तालुका ग्राम दोडका में सिद्धनाथ महादेव मंदिर पर सुंदर मेले का आयोजन
सावली तालुका ग्राम दोडका में सिद्धनाथ महादेव मंदिर पर सुंदर मेले का आयोजन