સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા હતા. નદીનું જળસ્તર વધી જતા રાંદેર-કતારગામને જોડતો કોઝ વે બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિજ બંધ થતા લાખો રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. આજે 131 દિવસ બાદ ફરી કોઝ વે ફરી શરૂ થઈ ગયો છે જેને લઇ રાહદારીઓને હાશકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 27 વર્ષમાં પહેલીવાર સૌથી વધુ દિવસ કોઝ વે બંધ રહ્યો છે.