કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ સુધીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો કોઈપણ હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આઈબીએ આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.

આઈબીએ તેના 10 પાનાના રિપોર્ટમાં કટ્ટરપંથી સંગઠનો ઉપરાંત લશ્કર, જૈશના ધમકીઓનું વર્ણન કર્યું છે. રિપોર્ટમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. ઉદયપુર અને અમરાવતીમાં બનેલી તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને IBએ નિર્દેશ આપ્યો છે કે કટ્ટરપંથી જૂથો અને ભીડવાળા સ્થળોએ તેમની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવે.