પાંચ ખીલોરી ગામે જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા આ મહિલા.

અમરેલી ના પીપળલગ મા રહેતા મહિલા તેના બે સંતાન સાથે પાંચ ખીલોરી જવાનુ કહી ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઇ જતા તેમના પતિદેવે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન માં જાણ કરી હતી .

  આ ઘટના પીપળલગ ગામે બની હતી .

 પીપળલગ ગામે રહેતા દિનેશભાઇ વાઘાભાઇ ભાસ્કર ઉ.વ .૩૫ નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે!

 તેઓ મજુરી કામે ગયા હતા,અને સાંજના ઘરે પરત ફર્યા ત્યારે

 મોટી દીકરી મિતાલીએ કહેલ કે મારા મમ્મી થેલામા કપડા ભરીને મામાના ઘરે પાંચ ખીલોરી જવુ છે સાત આઠ દિવસ પછી આવીશ તેમ કહી સાથે દીકરી અને દીકરાને લઇને જતા રહ્યાં હતા . તેમણે વધુમા જણાવ્યું હતુ કે તેના મોટાભાઇનુ અવસાન થતા જ્ઞાતિના રિવાજ મુજબ તેમણે દિવાળીબેન સાથે દિયરવટુ વાળ્યું હતુ . દિવાળીબેન ઘરેણા તથા કપડા પણ લઇ ગયા હતા અને ગુમ થઇ ગયા હતા .

 બનાવ અંગે એ.એસ.આઇ જે.કે.ડામોર આગળની તપાસ ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી