મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક અજાણ્યા વાહનના ચાલકે રીક્ષાને હડફેટ લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રીપોટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક ગત મોડી રાત્રીના ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનના ચાલકે ઓટો રિક્ષાને હડફેટ લેતા ઓટો રીક્ષા ચાલક એવા સૈયદ આધેડનું માથાના ભાગે વાહનના તોતીંગ વ્હીલ ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસે આવેલા તુલસી પેટ્રોલ પંપ પાસેથી પોતાની ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૧૧૧૯ લઈને જઈ રહેલા અકબરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (ઉમર ૫૫) નામના ઓટો રીક્ષા ડ્રાઇવરની રીક્ષાને તા.૧૭-૧૧ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે સરતાનપર ચોકડી નજીક હડફેટે લીધી હતી જેથી કરીને ઓટો રિક્ષા રેલિંગ સાથે અથડાઈ હતી અને ઓટોરિક્ષાના ચાલક અકબરમિંયા કાદરી રોડ ઉપર પડી ગયા હતા ત્યારે અજાણ્યા વાહનનું ટાયર તેઓના માથાના ભાગ ઉપરથી ફરી વળતા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે અકબરમિંયા હૈદરમિંયા કાદરી નામના આધેડનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ બસીરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (૫૧) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. વાંકાનેર બાવાગોરની તકીયાવાડી શેરી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.