ધારી શહેરમાં રેહતા અશોકભાઈ દાફડા કે જેઓ હંમેશા અનુસૂચિત જાતી ને ઉપયોગી વ્યક્તિત્વ ધરાવે છે સાથેજ સેવાકીય કામગીરી ઓ પણ કરી રહેલા છે જેની નોંધ લયને અશોકભાઈ ને અખીલ ભારતીય વણકર સમાજના જીલ્લા અધ્યક્ષ ,ઈન્ટર નેશનલ હુમન રાઈટ પ્રોટેક્શ કમીશન દિલ્હી દ્વારા ડીસ્ટ્રી પ્રેસિડેન્ટ એસ.સી/એસ.ટી સેલ અમરેલી અને ડો.આંબેડકર દલિત પરીષદ અમદાવાદ દ્વારા અમરેલી જીલ્લા પ્રમુખ તરીકે ની જવાબદારી ઓ સોંપવામાં આવેલ છે. આ તમામ જવાબદારી ઓ મળવા બાબતે અને સંગઠને વિશ્વાસ પાત્ર વ્યક્તિ ની પસંદગી કરેલ છે એ બદલ સહુ મીત્રો, સગા સ્નેહીઓ તરફથી અશોકભાઈ દાફડાને અભિનંદન આપવામાં આવી રહેલ છે.

ધારી ખાતે આવેલ સરસીયા રોડ ઈંદિરા નગર વિસ્તારમાં રેહતા અશોકભાઈ દાફડાના મિલનસાર સ્વભાવ ના કારણે ધારી શહેરમાં રેહતા તમામ ધર્મના, તમામ સમુદાય, દરેક જ્ઞાતિ ની સાથે પણ સારી એવી નામના ધરાવે છે ત્યારે દરેક લોકોએ પણ અભિનંદન આપીને તમામ જવાબદારી ઓ નિભાવી લોકોને.મદદરૂપ બને તેવો વિચાર રજુ કરેલ છે