ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે દાવેદારી કરનારા જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય એવા પ્રદિપ ભાઈ કોટડીયા ને ટીકીટ ન મળતા તેઓ કયાક ને કયાક નારાજ હોય તેવા સમાચાર મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી ૯૪ બેઠક ઉપર હંમેશાં પાટીદાર સમાજના પ્રતિનિધિ ચુંટાયેલા છે.એકમાત્ર વજુભાઇ ધાણક શિવાય આ બેઠક કોઈપણ બિનપાટીદાર ઉમેદવાર મેળવી શકેલ નથી. કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો જરૂર છે.પરંતુ અન્ય પાર્ટી ઓમાં પાટીદાર સમાજના ઉમેદવાર ઉભા છે ત્યારે શુ ખરેખર ડો. બોરીસાગર ને આ વિસ્તાર ના પાટીદાર સમાજના મતદારો મત આપશે કે કેમ એ કહેવુ મુશ્કેલ જણાય છે કારણ કે આ વખતે જીલ્લા પંચાયત ના પુર્વ સદસ્ય અને સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક એવા પ્રદિપ કોટડીયા કયાય નઝરે ચડેલ નથી.