વઢવાણના ૨૪ વર્ષીય સિવિલ એન્જીનિયર દિપાલીબેન ભરતભાઇ શેઠ આગામી તા. ૨૮મી ડિસેમ્બરે અમદાવાદમાં આચાર્ય ભગવંત યોગ તિલકસુરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર છે, ત્યારે સકળ સંઘ દ્વારા વઢવાણમાં તા. ૧૩મી નવેમ્બરને રવિવારે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કરાયું હતું. આ વરસીદાનનો વરઘોડો સમગ્ર વઢવાણ શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો અને ત્યારબાદ સ્વામીવાત્સલ્ય સંઘ ખાતે જમણ પણ યોજાયું હતું.