મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપરથી કુલ ૩૧ ફોમ રદ, ૪૯ મુરતિય હજુ પણ ચૂંટણીના મેદાનમાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને 80 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની

મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાનીત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૧ ફોર્મ રદકરવામાં આવેલ છે

મોરબી જિલ્લાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦, વાકાનેર કુવાડવા બેઠક માટે ૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ છે જેમાં કેટલાકના ડબલ ઉમેદવારી પત્રો હતા અને વાંકાનેરમાં એક ઉમેદવારની ઉંમર ૨૫ વર્ષ ન થયેલ હોવાથી તેનું ફોમ રદ કર્યું છે તેમજ ડમી ઉમેદવારોના ફોમ પણ રદ કરાયેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે તેના સહિત કુલ ૪૯ ઉમેદવારો મેદાનમાં છે જો બેઠક વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે વાકાનેર ૨૬, કુવાડવા માટે ૧૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૮ ઉમેદવાર હજુ પણ બેઠક ચૂંટણીનાં જંગમાં છે અને તા ૧૭ ના રોજ બાકી રહેલા ઉમેદવારોમાંથી કેટલા ફોમ પાર્ટ ખેચવામાં આવે છે તે નક્કી થયા પછી ત્રણેય બેઠકો