પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.