રાજ્યમાં હવે ગુનેગારોને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી અને પોલીસને પણ માર મારવાના બનાવો વધી રહયા છે.
મહેમદાવાદમાં સાત ઈસમોએ એ રેલવે પોલીસ ચોકીમાં ઘૂસી જઈ પોલીસ ઉપર ઘાતક હથિયારો સાથે હુમલો કરી માર મારતા પોલીસકર્મીઓ માં ભારે ભાગદોડ મચી ગઇ હતી.

આ ઘટનામાં બે પોલીસ કર્મીઓને ઇજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
ઘટનાની જાણ થતાં રેલ્વે ડીવાયએસપી મુકેશ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ પોલીસ કોન્સ્ટેબલ રવિ ચોહાણે થોડા દિવસ અગાઉ રીઢા સાહિલ અને સાગર નામના ઈસમો સામે ગુન્હો દાખલ કર્યો હતો તેની અદાવત રાખી મહેમદાવાદ રેલવે પોલીસ ચોકી ઉપર હુમલો થયો હોવાનું મનાય છે.