ગત તારીખ ૧૨/૧૧/૨૦૨૨ શનિવાર ના ધંધુકા વિધાનસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભી પાળીયાદ ખાતે વિસામણબાપુની જગ્યા માં દર્શનાર્થે પધાર્યા હતા.

ભગવાનશ્રી કાળીયા ઠાકરના દર્શન કરી

કૃતાર્થ બન્યા હતા તેમજ પાળીયાદ જગ્યાના મહન્ત ગાદીપતી મહામન્ડલેશ્વર ૧૦૦૮ નિર્મલાબાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા અને

જગ્યા ના ભયલુબાપુની પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી આ તકે ભયલું બાપુ દ્વારા કાળુભાઇનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને ભગવાનઠાકર ની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,

કાળુભાઇ સાથે રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ, નરેન્દ્રભાઇ દવે, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ સોલંકી ,વિરમભાઇ મિઠાપરા, ભગવતસિંહ ડાયમા, હરપાલસિંહ ઝાલા,તાલુકા મહામંત્રી, રવિરાજભાઈ ધાધલ રાણપુર,યુવા મોરચા પ્રમુખ પ્રતાપભાઈ પરમાર, જેસાભાઈ બાવળિયા, A.P.M.C.વાઇસ ચેરમેન રાણપુર તથા ભાજપ ના કાર્યકર્તાઓ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ના દર્શનાર્થે સાથે જોડાયા હતા.

આ મુલાકાત થી પૂજ્ય ભયલુબાપુ એ ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી કાળુભાઇ ડાભી અને તેમની ટિમ દ્વારા ચૂંટણી પ્રચાર પસારના શ્રી ગણેશ કરવામાં આવછે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.