ડીસા (મેરુજીપ્રજાપતિ)રબારી સમાજ ના સેવાભાવી  આગેવાન  નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ.  શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા  તત્પર રહેતા  ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ. વધુ માં જણાવેલ કે  ભાજપ દ્વારા166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ  રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે. જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે. સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે. ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.