દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા હતા જેને લઇ ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે જે સોકોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના ધરમપુરીની એક નદીમાં એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતા આ ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ ડોક્ટર અમિત શુક્લાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો સહિત તેમના ચાહનારા વર્ગ સહિત લોકોમાં સવાલ ઉઠવા પામ્યા ત્યારે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવા આવે તેવી લાગણી અને માંગણી ડોક્ટર શુક્લાના શુભચિંતકોમાં ઉદભવવા પામી છે