ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ – અવસર લોકશાહીનો

મતદાન અંગે સર્વેક્ષણ -એક્ઝિટ પોલ અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકાયો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ - એક્ઝિટ પોલ કરવા અને સર્વેક્ષણાના પરિણામો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૨૬ એ ની કલમ ૧ હેઠળ તા. ૧૨/૧૧/૨૨ શનિવારે સવારે ૮ વાગ્યાથી તા. ૫/૧૨/૨૦૨૨ સોમવારના સાંજના ૫.૩૦ કલાક દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો ઓપીનીયન પોલ સહિતની કોઇ પણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા ઉપર આ અધિનિયમ અંતર્ગત પ્રતિબંધ મુકતું જાહેરનામું ચૂંટણી આયોગ દ્વારા ગત તા. ૧૦/૧૧/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે તેમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉપસચિવ શ્રી એમ.ડી. મુદ્દલિયારે એક યાદીમાં જણાવ્યું છે.