પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ‌.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.