કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિનુ મોરડીયા નું નામ જાહેર થતાં કાર્યકરોએ ટિકિટ મળતા વિનુ મોરડિયાને ખભે ઉચકી લીધા હતાં.

કતારગામમાં લીડની આશા તારગામ વિધાનસભા બેઠક માટે મંત્રી વીનુ મોરડીયાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિનુ મોરડીયાની કામગીરીને બિરદાવતા હોય તે રીતે ભાજપે તેમને કામગીરીની સારી નોંધ લઈને ફરીથી તેમને રિપીટ કાર્ય છે. વિનુ મોરડીયા પાટીદાર ચહેરો છે. પાટીદારોની સાથે સર્વ સમાજને સાથે લઈને કામ કરવાની તેમની અનોખી છાપના કારણે તેમને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. વિનુ મોરડીયાને ગત વર્ષે પણ જનસમર્થન મળ્યું હતું. ત્યારે આ વખતે ફરીથી તેઓ ભારે જંગી બહુમતીથી વિજેતા થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.