પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.