સિહોર પંથકમાં ધોરી અષાઢ કોરો જતા ધરતીપુત્રો ચિંતિત તળાવોમાં પણ હજુ નવા નીરની આવક થઇ નથી શ્રાવણ માસમાં સરવડા હોય પરંતુ જો સારો વરસાદ થાય તો વાવણી કરેલ ખેતીપાકને નવજીવન મળે વરસાદનો ધોરી ગણાતો અષાઢ માસ પૂરો થયો. હાલમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને આ વરસે પૂરતો વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આથી ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા છે અને સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.સિહોર પંથકમાં આ વરસે મોડો વરસાદ આવ્યો. ટાણા ગામમાં તો થોડા દિવસો પહેલાં જ વાવણીલાયક વરસાદ પડ્યો હતો. આથી હજી તો પાક માંડ જમીન બહાર નીકળ્યો છે ત્યાં તો વરસાદે વિરામ લીધો. અને પાકને પૂરતુ પોષણ પણ નથી મળ્યું. મોંઘવારીમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનું ધરતીપુત્રોએ રોકાણ કર્યું હોય છેપરંતુ કુદરત રુઠતા ધરતીપુત્રોમાં ગહેરી ચિંતા વ્યાપી જવા પામી છે.શ્રાવણ માસમાં સરવડા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં પણ જો સારો વરસાદ થાય તો પાકને નવજીવન મળી શકે છે.અત્યારે ધરતીપુત્રોએ પોતાના ખેતર કે વાડીમાં કપાસ, બાજરો, મગફળી,તલ, મગ સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે.સિહોર પંથકના ટાણા, સોનગઢ, અમરગઢ. દેવગાણા. અગિયાળી આંબલા સહિતના ગામોમાં સારા વરસાદની ધરતીપુત્રો રાહમાં છે. બધા પાસે બોરની વ્યવસ્થા ન પણ હોય. આથી અપૂરતો વરસાદ આવે તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. ખેતીનો મુખ્ય આધાર જ વરસાદ હોય છે. ખોડિયાર મંદિરનું તળાવ, આંબલાનું તળાવ, ટાણાનું તળાવ આ બધા તળાવોમાં પણ જોઇએ તેટલાં નવા નીરની આવક થઇ નથી. આથી આ બાબત ચિંતાનો વિષય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anantnag Operation: भारतीय सैनिकों की शहादत को लेकर पाकिस्तान पर भड़कीं सीमा हैदर, कह दी चुभने वाली बात
Seema Haider Tribute To Martyrs: सीमा हैदर (Seema Haider) पाकिस्तान (Pakistan) पर भड़क गई हैं और...
सीआईडी कॉलेज में नव प्रवेशित की छात्रा-चो का हुआ स्वागत समारोह
सीआईटी कॉलेज में नव प्रवेशित छात्र-छात्राओं का हुआ स्वागत समारोह
आबूरोड...
Amarnath Yatra Begins
Duration and Commencement Of Amarnath Yatra is given.
সোণাৰিত ধুমুহাৰ ফলত বিদ্যালয় ক্ষতি গ্ৰস্থ
সোণাৰিত ধুমুহাৰ তাণ্ডৱ। প্ৰচণ্ড ধুমুহাৰ ফলত ক্ষতিগ্ৰস্ত বিদ্যালয়। সোণাৰিৰ ডিপ্লিং বাগিচা...
২৫ আগষ্টত স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰী সকলৰে বাৰ্তালাপ কৰিব মোদীয়ে
নতুন দিল্লী, ২৩ আগষ্ট। ২৫ আগষ্টৰ সন্ধিয়া স্মাৰ্ট ইণ্ডিয়া হেকাথনৰ অংশগ্ৰহণকাৰীসকলৰ সৈতে...