સિહોર પંથકમાં ધોરી અષાઢ કોરો જતા ધરતીપુત્રો ચિંતિત તળાવોમાં પણ હજુ નવા નીરની આવક થઇ નથી શ્રાવણ માસમાં સરવડા હોય પરંતુ જો સારો વરસાદ થાય તો વાવણી કરેલ ખેતીપાકને નવજીવન મળે વરસાદનો ધોરી ગણાતો અષાઢ માસ પૂરો થયો. હાલમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને આ વરસે પૂરતો વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આથી ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા છે અને સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.સિહોર પંથકમાં આ વરસે મોડો વરસાદ આવ્યો. ટાણા ગામમાં તો થોડા દિવસો પહેલાં જ વાવણીલાયક વરસાદ પડ્યો હતો. આથી હજી તો પાક માંડ જમીન બહાર નીકળ્યો છે ત્યાં તો વરસાદે વિરામ લીધો. અને પાકને પૂરતુ પોષણ પણ નથી મળ્યું. મોંઘવારીમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનું ધરતીપુત્રોએ રોકાણ કર્યું હોય છેપરંતુ કુદરત રુઠતા ધરતીપુત્રોમાં ગહેરી ચિંતા વ્યાપી જવા પામી છે.શ્રાવણ માસમાં સરવડા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં પણ જો સારો વરસાદ થાય તો પાકને નવજીવન મળી શકે છે.અત્યારે ધરતીપુત્રોએ પોતાના ખેતર કે વાડીમાં કપાસ, બાજરો, મગફળી,તલ, મગ સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે.સિહોર પંથકના ટાણા, સોનગઢ, અમરગઢ. દેવગાણા. અગિયાળી આંબલા સહિતના ગામોમાં સારા વરસાદની ધરતીપુત્રો રાહમાં છે. બધા પાસે બોરની વ્યવસ્થા ન પણ હોય. આથી અપૂરતો વરસાદ આવે તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. ખેતીનો મુખ્ય આધાર જ વરસાદ હોય છે. ખોડિયાર મંદિરનું તળાવ, આંબલાનું તળાવ, ટાણાનું તળાવ આ બધા તળાવોમાં પણ જોઇએ તેટલાં નવા નીરની આવક થઇ નથી. આથી આ બાબત ચિંતાનો વિષય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंबई-गोवा महामार्गावर बावनदीनजिक एसटी आणि खाजगी आरामबसची समोरासमोर धडक, प्रवासी जखमी
रत्नागिरी : मुंबई-गोवा महामार्गावर निवळी येथे बुधवारी पहाटे 6 वाजण्याच्या सुमारास एसटी व खाजगी...
वसुंधरा के खास माने जाने वाले यूनुस खान पर कैबिनेट मंत्री कन्हैयालाल चौधरी जमकर बरसे
राजस्थान सरकार के कैबिनेट मंत्री कन्हैया लाल चौधरी ने निर्दलीय विधायक यूनूस खान के बयान पर पलटवार...
Breaking News: मुंबई में IAS दंपत्ति की बेटी ने छत से कूदकर की आत्महत्या | Aaj Tak Latest Hindi News
Breaking News: मुंबई में IAS दंपत्ति की बेटी ने छत से कूदकर की आत्महत्या | Aaj Tak Latest Hindi News
પીપળીયા (ધા) અને ઝીંઝુડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ અને આગેવાનોનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરાયું
,
સુરેન્દ્રનગર જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના...
रुद्रप्रयाग भूस्खलन से 4 गुजराति की मौत हरिद्वार से केदारनाथ जाते वक्त कार में सवार 5 लोगों की मौत,
उत्तराखंड में हरिद्वार से केदारनाथ जाने वाली सड़क पर भूस्खलन से एक स्विफ्ट डिजायर कार कुचल गई,...