સિહોર પંથકમાં ધોરી અષાઢ કોરો જતા ધરતીપુત્રો ચિંતિત તળાવોમાં પણ હજુ નવા નીરની આવક થઇ નથી શ્રાવણ માસમાં સરવડા હોય પરંતુ જો સારો વરસાદ થાય તો વાવણી કરેલ ખેતીપાકને નવજીવન મળે વરસાદનો ધોરી ગણાતો અષાઢ માસ પૂરો થયો. હાલમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને આ વરસે પૂરતો વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આથી ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા છે અને સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.સિહોર પંથકમાં આ વરસે મોડો વરસાદ આવ્યો. ટાણા ગામમાં તો થોડા દિવસો પહેલાં જ વાવણીલાયક વરસાદ પડ્યો હતો. આથી હજી તો પાક માંડ જમીન બહાર નીકળ્યો છે ત્યાં તો વરસાદે વિરામ લીધો. અને પાકને પૂરતુ પોષણ પણ નથી મળ્યું. મોંઘવારીમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનું ધરતીપુત્રોએ રોકાણ કર્યું હોય છેપરંતુ કુદરત રુઠતા ધરતીપુત્રોમાં ગહેરી ચિંતા વ્યાપી જવા પામી છે.શ્રાવણ માસમાં સરવડા હોય છે. પરંતુ શ્રાવણ માસમાં પણ જો સારો વરસાદ થાય તો પાકને નવજીવન મળી શકે છે.અત્યારે ધરતીપુત્રોએ પોતાના ખેતર કે વાડીમાં કપાસ, બાજરો, મગફળી,તલ, મગ સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે.સિહોર પંથકના ટાણા, સોનગઢ, અમરગઢ. દેવગાણા. અગિયાળી આંબલા સહિતના ગામોમાં સારા વરસાદની ધરતીપુત્રો રાહમાં છે. બધા પાસે બોરની વ્યવસ્થા ન પણ હોય. આથી અપૂરતો વરસાદ આવે તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. ખેતીનો મુખ્ય આધાર જ વરસાદ હોય છે. ખોડિયાર મંદિરનું તળાવ, આંબલાનું તળાવ, ટાણાનું તળાવ આ બધા તળાવોમાં પણ જોઇએ તેટલાં નવા નીરની આવક થઇ નથી. આથી આ બાબત ચિંતાનો વિષય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત
ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમદાન, જાહેર સ્થળોની સફાઈ સહિત
સ્વચ્છતાની થીમ પર જુદાં જુદાં કાર્યક્રમો યોજવામાં આવ્યા.
અમરેલી જિલ્લામાં તાજેતરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ...
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 એમ કુલ 23 વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં કોઇ વિદ્યાર્થી ગેરરિતી કરતો જણાયો ન હતો
જિલ્લામાં ધો.10 અને ધો.12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહના 35,906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ હાલ...
तमिल स्टार विजयकांत के निधन से सदमे में साउथ इंडस्ट्री, 'कैप्टन' को याद कर दी श्रद्धांजलि
HIGHLIGHTS
तमिल एक्टर विजयकांत का हुआ निधन
सोनू सूद से लेकर जूनियर एनटीआर ने दी श्रद्धांजलि...
৪৫ তম” প্ৰি ইউৰোপিয়ান লেসাই” পুৰস্কাৰ লাভ ভাৰতীয় জনপ্ৰিয় সাহিত্যিক অৰুনদ্ধতী ৰায়ৰ
৪৫ তম” প্ৰি ইউৰোপিয়ান লেসাই” পুৰস্কাৰ লাভ ভাৰতীয় জনপ্ৰিয় সাহিত্যিক অৰুনদ্ধতী...