Welcome Election

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો

વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા જ આજે આચારસંહિતા પણ લાગુ થઇ જશે. ત્યારે આચાર સંહિતા લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે.