હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી જલારામ બાપાની 123 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં શ્રી જલારામ બાપાની 123મી જન્મ જયંતી નિમિત્તે પ્રતાપપુરા ખાતે ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સુંદરકાંડ અને રામદેવજી મહારાજના પાટ પ્રકાશમાં યોજાયેલ પૂજાપાઠ તેમજ ભંડારામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને હાલોલ નગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પ્રતાપપુરા અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોલંકી જયદીપભાઇ તેમજ તેઓના પુત્ર દ્વારા તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.