તળાજા તાલુકાના પીપરલા ગામે વિક્રમભાઇ દેસાઈના સ્વર્ગસ્થ પિતા મોતીબાપુ સ્મરણાર્થે ક્ષત્રિય આહિર સમાજના તેજસ્વી તારલાઓ, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો ઇનામ વિતરણ અને ૧૧ મો સન્માન સમારોહ તાજેતરમા રોજ યોજાયો હતો.

    આ કાર્યક્રમમાં આહિર જ્ઞાતિના ધોરણ 8 થી 12 ઉચ્ચ શિક્ષણના ફાઈનલ વર્ષમાં ઉત્કર્ષ પરિણામ લાવનાર 30 વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી નોકરી મેળવનાર 152 વિધાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલએ કુલ મળીને કુલ 182 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્રોત્સાહન ઇનામ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ છે

              જેમા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,નાનાભાઈ રોયલા, સુરસિંગભાઈવાઘોશી,ભીખુભાઈ વાઘોશી,મેરામભાઇ વાઘોશી ભાવરડી, ભોળાભાઈ આહીર,જોરુભાઈ મેગળે હાજરી આપી હતી. લોક સાહિત્યકાર ભોળાભાઈ આહીરે પોતાની આગવી શૈલીમાં સમાજને શિક્ષણ,સંસ્કાર, સંસ્કૃતિ,બાબતે માહિતી આપી હતી. નાનાભાઈ રોયલાયે આજના સમયમાં નોકરી, વ્યવસાયનું ધ્યેય હંમેશા ઉંચુ રાખવા ટકોર કરી હતી.