ગત તા. ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે જે દુર્ઘટના સર્જાઈ તેને અનુલક્ષીને આ વર્ષે લોહાણા મહાજન, કેશોદ દ્વારા પૂજય જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતિ કોઈપણ પ્રકારના પ્રદર્શન વિના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુ ખૂબ જ સાદગીથી શાંતિમય રીતે ઉજવવામાં આવી. આ વર્ષે શોભાયાત્રા તેમજ અન્ય પ્રદર્શનના કાર્યક્રમો લોહાણા મહાજન, કેશોદ દ્વારા રદ્દ કરવામાં આવેલ હતા. તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૯ સુધી કેશોદ શહેરના ૫,૦૦૦ થી વધુ જલારામ ભક્તોએ પ્રસાદીનો લાભ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે લીધો હતો. પ્રસાદીની શરૂઆત કરતા પહેલા મોરબી ખાતેના મૃતકોને લોહાણા મહાજન, કેશોદ તેમજ હાજર તમામ જ્ઞાતિજનોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસાદીનું આયોજન કેશોદ શહેરના લોહાણા જ્ઞાતિના જલારામ ભક્તો માટે લોહાણા જ્ઞાતિના દાતાઓના સાથ સહકારથી જ કરવામાં આવેલ હતું જેથી અન્ય જ્ઞાતિના જલારામ ભક્તોનો ફાળો લોહાણા મહાજન, કેશોદ દ્વારા સ્વીકાર થઈ શકે તેમ ન હોય દિલગીરી વ્યક્ત કરે છે. આ પ્રસંગે કેશોદ શહેરના ડી. વાય.એસ.પી. ઠક્કરસાહેબ, પી.આઇ. કોલી સાહેબ, મામલતદારશ્રી લુક્કા સાહેબ તેમજ જ્ઞાતિના આગેવાનો ગોવિંદભાઈ દેવાણી, ડો. અજયભાઈ સાંગાણી, એડવોકેટ ડી.ડી. દેવાણી, ભીખુભાઈ ગોટેચા વગેરે ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોસ્પિટલ, કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાએ કરેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মুকেশ আম্বানীৰ ল'ৰাই পায় নে পকৰী বেচা ল'ৰাই চাকৰি পাব ৰিজাল্ট দিয়াৰ দিনা গম পাব,,, মুখ্যমন্ত্ৰী...
মুকেশ আম্বানীৰ ল'ৰাই পায় নে পকৰী বেচা ল'ৰাই চাকৰি পাব ৰিজাল্ট দিয়াৰ দিনা গম পাব,,, মুখ্যমন্ত্ৰী...
कनवास कॉलेज को स्नातकोत्तर (PG) व परीक्षा सेंटर स्थापित करें, ऊर्जा मंत्री नागर को सौंपा ज्ञापन
कोटा. कनवास कस्बे में उपखंड कार्यालय परिसर पर ऊर्जा मंत्री हीरालाल नागर की अध्यक्षता में...
ભાવનગર ગ્રામ્ય-૧૦૩ વિધાનસભા ચૂંટણીમાં આપ માંથી ઓદરકા ગામના ખુમાનસિંહ ગોહિલની જાહેરાત કરાય
ભાવનગર ગ્રામ્ય-૧૦૩ વિધાનસભા ચૂંટણીમાં આપ માંથી ઓદરકા ગામના ખુમાનસિંહ ગોહિલની જાહેરાત કરાય
विज्ञान नगर थाना क्षेत्र में घर के बाहर खड़ी कार का शीशा तोड़ा, CCTV फुटेज आया सामने
कोटा के विज्ञान नगर में आज दिन में दोपहर 2 बजे के लगभग एक छोटे बच्चे ने पत्थर फेंक कर विज्ञान नगर...
Ram Mandir Inauguration: प्राण प्रतिष्ठा को लेकर वाराणसी में बांटे जा रहे दीये, भक्तों ने क्या कहा?
Ram Mandir Inauguration: प्राण प्रतिष्ठा को लेकर वाराणसी में बांटे जा रहे दीये, भक्तों ने क्या कहा?