ગત તા. ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે જે દુર્ઘટના સર્જાઈ તેને અનુલક્ષીને આ વર્ષે લોહાણા મહાજન, કેશોદ દ્વારા પૂજય જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતિ કોઈપણ પ્રકારના પ્રદર્શન વિના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુ ખૂબ જ સાદગીથી શાંતિમય રીતે ઉજવવામાં આવી. આ વર્ષે શોભાયાત્રા તેમજ અન્ય પ્રદર્શનના કાર્યક્રમો લોહાણા મહાજન, કેશોદ દ્વારા રદ્દ કરવામાં આવેલ હતા. તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૯ સુધી કેશોદ શહેરના ૫,૦૦૦ થી વધુ જલારામ ભક્તોએ પ્રસાદીનો લાભ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે લીધો હતો. પ્રસાદીની શરૂઆત કરતા પહેલા મોરબી ખાતેના મૃતકોને લોહાણા મહાજન, કેશોદ તેમજ હાજર તમામ જ્ઞાતિજનોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસાદીનું આયોજન કેશોદ શહેરના લોહાણા જ્ઞાતિના જલારામ ભક્તો માટે લોહાણા જ્ઞાતિના દાતાઓના સાથ સહકારથી જ કરવામાં આવેલ હતું જેથી અન્ય જ્ઞાતિના જલારામ ભક્તોનો ફાળો લોહાણા મહાજન, કેશોદ દ્વારા સ્વીકાર થઈ શકે તેમ ન હોય દિલગીરી વ્યક્ત કરે છે. આ પ્રસંગે કેશોદ શહેરના ડી. વાય.એસ.પી. ઠક્કરસાહેબ, પી.આઇ. કોલી સાહેબ, મામલતદારશ્રી લુક્કા સાહેબ તેમજ જ્ઞાતિના આગેવાનો ગોવિંદભાઈ દેવાણી, ડો. અજયભાઈ સાંગાણી, એડવોકેટ ડી.ડી. દેવાણી, ભીખુભાઈ ગોટેચા વગેરે ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોસ્પિટલ, કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઈ અટારાએ કરેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पटना लाठीचार्ज मामले की जांच करेंगे बीजेपी नेता, जेपी नड्डा ने किया चार सदस्यीय समिति का गठन
नई दिल्ली, बिहार की राजधानी पटना में पुलिस द्वारा हुई लाठीचार्ज के दौरान बीजेपी नेता की मौत...
Vehicle Sales in August 2024: बीते महीने वाहनों की बिक्री में आई सात फीसदी की गिरावट, FADA ने जारी की रिपोर्ट
फेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन (FADA) की ओर से वाहनों की बिक्री को लेकर एक रिपोर्ट जारी की...
संपन्न हुआ 16 कुंडीय गायत्री सुगम यज्ञ प्रशिक्षण
देव जी का थाना में संपन्न हुआ 16 कुंडीय गायत्री सुगम यज्ञ प्रशिक्षणबून्दी। देव जी का थाना में...
અમદાવાદઃ ચોંકાવનારો ખુલાસો, IB અધિકારીએ પારિવારિક વિવાદમાં કરી પત્નીની હત્યા
વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર સેક્ટર 2માંથી મહિલાની લાશ મળી આવતાં હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો...
CJI Chandrachud की बेंच के Electoral Bond फैसले के बाद SBI ने अब तक क्या-क्या जमा कराया?
CJI Chandrachud की बेंच के Electoral Bond फैसले के बाद SBI ने अब तक क्या-क्या जमा कराया?