હાલમાં સૌરાષ્ટ્ર ભરમાં હાહાકાર મચ્યો છે અને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી ગામમાં અચાનક જ નવો બનાવેલો અને તાજેતરમાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું એવો જુલતો પુલ અચાનક જ તૂટી પડતા 300 થી 400 લોકો આ પુલ ઉપર મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ આ પુલ ધરાસાઈ થતાં તમામ લોકો મચ્છુ નદીમાં ખાબકીયા હતા અને હાલમાં અંદાજિત 120 થી વધુ લોકો તો મોતને ભેટીયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ દુર્ઘટના માં શોક વ્યક્ત કરતામોરબી પુલ હોનારત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓ ને આત્માને શાંતિ માટે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી ને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ અપર્ણ કરવાનો કાર્યક્રમ રાખેલ જેમાં શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, વિધાનસભા ના પૂર્વ ઉમેદવાર મોહનભાઇ પટેલ,જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા,શહેર કાર્યકારી પ્રમુખ મહેન્દ્ર ભાઈ, મનુભાઈ પટેલ,અને કોંગ્રેસી કાર્યકર્તા, હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.