મોરબી દુર્ઘટનાને લઈ બ્લડ બેન્કો સતત દોડતી રહી હતી. લોહીની વધુ પડતી જરૂરિયાતને લીધે  રેડક્રોસ સોસાયટીના વોલેન્ટરો દ્વારા બ્લડ ડોનેટ કરી લોહીની બોટલ પહોચતી કરવામાં આવી હતી તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી ૨૦૦ કરતા વધારે યુનિટ બ્લડ મોકલવામાં આવ્યું હતું. હજુ પણ લોહીની માંગ છે.