સુરત ના ભાજપા કાર્યકર અને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા ના વખાણ કરતા સી આર પાટીલ

સુરત ના ભાજપા કાર્યકર અને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા ના વખાણ કરતા સી આર પાટીલ ,સી.આર.પાટીલે સોશિયલ મીડિયા મારફતે લોકોને સંદેશો આપ્યો

 સી આર પાટીલે ટ્વીટ કરી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે. 

સામાન્ય રીતે જે કાર્યકર્તાશ્રીઓ ટિકિટ માંગે અને એમને ટિકિટની ના પાડવામાં આવે તો એમને સમજાવવા માટે એક ટીમની નિમણૂંક કરવામાં આવે છે. શ્રી પ્રફૂલભાઇએ ટિકિટ માંગી અને એવું પણ કહ્યું કે “હું પાર્ટીને સમર્પિત છું એટલે મારા ઘરે ટીમ મોકલવાને બદલે સીધું કામ જ ચીંધી દેજો !”

શ્રી પ્રફૂલભાઇ જેવા કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, જેમને કોઇ હોદ્દા કે પદ સાથે લેવાદેવા નથી, એમનાં હૈયે માત્ર અને માત્ર જનસેવા વસેલી છે. 

“હોદ્દો નહીં પણ સેવા”નાં આ સંસ્કારને કારણે ભારતીય જનતા પાર્ટી પર લોકોને અખૂટ વિશ્વાસ છે. હું પ્રફૂલભાઇને એમની કર્તવ્યનિષ્ઠા બદલ અભિનંદન પાઠવું છું.