ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇને બાઇક ખરીદનાર યુવાને હપ્તા ભર્યા ન હતાં, જેથી ઉઘરાણી માટે આવેલા ફાઇનાન્સ કંપનીના શખ્સે છરીના ઘા મારી જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત જો કે પોલીસે ટીમો બનાવીને છરીના ઘા ઝીંકનાર હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળીપાછળ ધકેલી દીધો હતો.રાણપુરના ભરવાડ યુવાન કાનાભાઈ વિભાભાઈ જોગરાણાએ બોટાદ ખાતેની શ્રી રામ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવીને હીરો સ્પલેન્ડર બાઇક ખરીદ કર્યુ હતું. તેના હપ્તા ચડી જતા ફાઇનાન્સ કંપનીમાંથી ઉદયભાઇ વલકુભાઈ ધાધલ ગાડી પાછી ખેંચવા રાણપુરમાં કાનાભાઈના ઘરે આવ્યા હતાં. તે વખતે કાનાભાઈ તથા તેમના ભત્રીજા હરેશભાઈએ બાઇક લેવા આવેલા ઉદયભાઇ પાસે શ્રી રામ ફાઇનાન્સ કંપનીનો ઓથોરિટી લેટર માંગ્યો હતો. ત્યારે ઉદય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટેથી ગાળો બોલી હું મોટરસાયકલ લીધા વિના જવાનો નથી, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી કાનાભાઈ ઉપર તુટી પડયો હતો અને આડેધડ ઘા કરતા કાનાભાઇને જમણા કાન, ડાબા હાથમાં તથા છાતીના ભાગે જમણી બાજુ ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે તેનું મોત નિપજ્યું હતું.બોટાદ શ્રીરામ ફાઇનાન્સ માંથી હપ્તાથી બાઈક લીધું હતું જે બાઈક નાં હપ્તા ચઢી જતા બાઈક પાછું ખેંચવા ઓથોરિટી લેટર વગર આવેલા ઉદય વલકુભાઈ ધાધલે બોલાચાલી કરી ગાળો બોલી છરીથી હુમલો કરી ૪૦ વર્ષ નાં ભરવાડ યુવાન કાનાભાઈ જોગાભાઈ જોગરાણા ની છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપી ઉદય વલકુભાઈ ધાધલ ને ભાવનગર રેન્જ આઈ જી ની સુચના અને તથા બોટાદ એસ પી ની સુચનાથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી ઉદય વલકુભાઈ ધાધલ (ઉ. વ.૩૦) ને બરવાળા ચોકડી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नागर को किया पशु चिकित्सा कर्मचारी महासंघ का अध्यक्ष नियुक्त
नैनवां।पशु चिकित्सा कर्मचारी महासंघ जिला अध्यक्ष के चुनाव संपन्न हुए। सीपी नागर को बूंदी जिला...
Haldwani Violence Updates: हल्द्वानी में अब कैसे हैं हालात? Ground Report (BBC Hindi)
Haldwani Violence Updates: हल्द्वानी में अब कैसे हैं हालात? Ground Report (BBC Hindi)
रिटायर्ड जज की अध्यक्षता में हो हाथरस हादसे की जांच', CJI को भेजी गई सुप्रीम कोर्ट में दायर याचिका
उत्तर प्रदेश के हाथरस में सत्संग के दौरान मची भगदड़ का मामला सुप्रीम कोर्ट पहुंच गया है. शीर्ष...
एस जयशंकर ने भारत-जापान सेमीकंडक्टर सहयोग के बारे में बताया, कहा- हम ताइवान के साथ भी काम कर रहे हैं
भारत-जापान फोरम के उद्घाटन सत्र में, विदेश मंत्री (ईएएम) एस जयशंकर ने भारत और जापान के बीच...