ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇને બાઇક ખરીદનાર યુવાને હપ્તા ભર્યા ન હતાં, જેથી ઉઘરાણી માટે આવેલા ફાઇનાન્સ કંપનીના શખ્સે છરીના ઘા મારી જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત જો કે પોલીસે ટીમો બનાવીને છરીના ઘા ઝીંકનાર હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળીપાછળ ધકેલી દીધો હતો.રાણપુરના ભરવાડ યુવાન કાનાભાઈ વિભાભાઈ જોગરાણાએ બોટાદ ખાતેની શ્રી રામ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મેળવીને હીરો સ્પલેન્ડર બાઇક ખરીદ કર્યુ હતું. તેના હપ્તા ચડી જતા ફાઇનાન્સ કંપનીમાંથી ઉદયભાઇ વલકુભાઈ ધાધલ ગાડી પાછી ખેંચવા રાણપુરમાં કાનાભાઈના ઘરે આવ્યા હતાં. તે વખતે કાનાભાઈ તથા તેમના ભત્રીજા હરેશભાઈએ બાઇક લેવા આવેલા ઉદયભાઇ પાસે શ્રી રામ ફાઇનાન્સ કંપનીનો ઓથોરિટી લેટર માંગ્યો હતો. ત્યારે ઉદય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટેથી ગાળો બોલી હું મોટરસાયકલ લીધા વિના જવાનો નથી, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી કાનાભાઈ ઉપર તુટી પડયો હતો અને આડેધડ ઘા કરતા કાનાભાઇને જમણા કાન, ડાબા હાથમાં તથા છાતીના ભાગે જમણી બાજુ ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે તેનું મોત નિપજ્યું હતું.બોટાદ શ્રીરામ ફાઇનાન્સ માંથી હપ્તાથી બાઈક લીધું હતું જે બાઈક નાં હપ્તા ચઢી જતા બાઈક પાછું ખેંચવા ઓથોરિટી લેટર વગર આવેલા ઉદય વલકુભાઈ ધાધલે બોલાચાલી કરી ગાળો બોલી છરીથી હુમલો કરી ૪૦ વર્ષ નાં ભરવાડ યુવાન કાનાભાઈ જોગાભાઈ જોગરાણા ની છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપી ઉદય વલકુભાઈ ધાધલ ને ભાવનગર રેન્જ આઈ જી ની સુચના અને તથા બોટાદ એસ પી ની સુચનાથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી ઉદય વલકુભાઈ ધાધલ (ઉ. વ.૩૦) ને બરવાળા ચોકડી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवरीचा नाद खुळा । प्रीवेडिंगच्या क्रीएटीव्हीला तोड नाय! । Viral Video । Hpn Marathi News
नवरीचा नाद खुळा । प्रीवेडिंगच्या क्रीएटीव्हीला तोड नाय! । Viral Video । Hpn Marathi News
ડીસામાં જુગાર રમતાં 11 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. દેસાઈ 5 સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન...
BANASKATHA // બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય, દુધના ભાવમાં કરાયો વધારો..
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે...
১০৩ খন পতাকা উত্তোলনেৰে আৰম্ভ দলবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান
শতবৰ্ষ অতিক্ৰম কৰা দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান তিনিদিনীয়া বিস্তৃত...
અમીરગઢમાં મજૂરી કામ કરવા આવેલી યુવતીની છેડતી કરતાં ચકચાર
અમીરગઢ તાલુકામાં મજૂરી કામ કરતી એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ...