સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે કડુ-ગેથળા વચ્ચે એક ટ્રક રોડ ઉપરથી ઉતરીને ગટરમાં ખાબક્તા અકસ્માત સર્જાયો હતો. તેમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.આ અકસ્માતની જાણવા મળતી વધુ વિગત એવા પ્રકારની છે કે, કડીથી ખોળ ભરીને જામનગર જવા નીકળેલો એક ટ્રક રાત્રીના દસ વાગ્યાના સુમારે લખતરના કડુ-ગેથળા હનમાન મંદિર વચ્ચેથી પસાર થતો હતો.ત્યારે સામેથી આવતી અન્ય ટ્રકની હેડલાઈટથી ડ્રાઈવરથી આંખો અંજાઈ જતા જામનગર જતો ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરીને ગટરમાં ખાબક્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થયાનું જાણવા મળે છે. અકસ્માતના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો થોભી જતાં લોકોના ટોળા એકત્ર થયા હતાં.