પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સિહોર શહેર સહિત પંથકમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસ પર્વ નિમિત્તે ધનવન્તરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પાવન દિવસે સિહોરવાસીઓએ પોતાના ઘરે સારા મુહૂર્તમાં રૂપિયાના સિક્કાથી માંડી સોના ચાંદીના દાગીનામાં વધારો કરી પૂજા અર્ચના કરી હતી. પૂજાની સાથે સાથે ભગવાનને પંચામૃતનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.લક્ષ્મીપૂજનનો દિવસ એટલે ધનતેરસ. ધનતેરસ નિમિત્તે સિહોરના લોકોએ મહાલક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓએ અમૃત પ્રાતતિ માટે કરેલા સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે પ્રગટેલા મહાલક્ષ્મી મોક્ષદાતા છે.પોતાના ઘરમાં તથા મંદિરોમાં લક્ષ્મીની પૂજા અર્ચના કરી હતી. સાંજના સમયે શુભ મુહૂર્તમાં પોતાના ઘરે લક્ષ્મીજીને પ્રિય લાલ પુષ્પો, શંખ, ગોમતીચક્ર, શ્રીફળ મુકીને પૂજાની શરૂઆત કરી હતી. ધનપૂજાની સાથે સાથે કુબેરની પૂજા કરવામાં આવી હતી. પોતાના ઘરની તિજોરીમાં તથા કબાટમાં ધન ન ખૂટે તે હેતુસર કેટલાક લોકોએ પૂજા અર્ચના બાદ શ્રીયંત્ર પોતાના ઘરમાં રાખ્યુ હતુ. તો કેટલાક લોકોએ ગત વર્ષે પૂજનમાં જે સિક્કાઓ તથા સોના ચાંદીના દાગીના મુક્યા હતા તેમાં એકનો વધારો કરીનેપૂજા કરી હતી. ધન, દાગીના તેમજ વાહનોની પૂજા કરવામાં આવી, શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી પણ થઇ, દિવાળીના તહેવારોને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: ओंकारेश्वर में नंदी को कैद देख भड़कीं उमा भारती, जाली तोड़ पुरातत्व विभाग को दी एफआईआर करने की चुनौती
मध्यप्रदेश की तीर्थ नगरी ओंकारेश्वर पहुंचीं पूर्व मुख्यमंत्री और फायरब्रांड नेता उमा भारती...
रत्नागिरीतील नवरात्रौत्सवाने परदेशी पाहुण्यांनाही घातली भुरळ
रत्नागिरी : रत्नागिरी जिल्ह्यात सर्वत्र नवरात्रौत्सव उत्साही वातावरणात साजरा होत आहे....
હાઈવે રોડપર આવેલા રાંદલ માતાના મંદિર પાસે ચંદ્રજા હનુમાનજી ગ્રુપ દ્વારા ગણપતિ મૂર્તિ ની પધરામણીકરી
હાઈવે રોડપર આવેલા રાંદલ માતાના મંદિર પાસે ચંદ્રજા હનુમાનજી ગ્રુપ દ્વારા ગણપતિ મૂર્તિ ની પધરામણીકરી
বাকী নিদিয়াৰ বাবেই মৰাণত ব্যৱসায়ীক প্ৰহাৰ, দোকান লণ্ডভণ্ড গ্ৰাহকৰ
আজি আবেলি মৰাণ অটো পাৰ্টছ নামৰ এখন দোকানত এজন ব্যক্তিক ব্যৱসায়ীজনে ঋণত বস্তু নিদিয়াৰ বাবে...
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ભક્તોમાં ભયંકર રોષ #Botad #SalangpurHanuman #Gujarat #ViralVideo
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ભક્તોમાં ભયંકર રોષ #Botad #SalangpurHanuman #Gujarat #ViralVideo