*સેવક ભાઇનો નિવૃત્તિ સમારોહ* 

આજરોજ મહેમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ માં શાળાના વર્ગ ૪ ના કર્મચારી નો નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. શાળા દ્વારા શાળામાં કામ કરતા સેવક ભાઈશ્રી અરવિંદભાઈ ગેંદાલભાઈ વાઘેલા ની સેવાઓની કદર કરતા તેમના નિવૃત્તિ સમારોહ નું ખુબ સુંદર આયોજન શાળાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સેવક શ્રી અરવિંદભાઈ નું સન્માન મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શીલાબેન વ્યાસ દ્વારા વિશેષ ઉપસ્થિત રહી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ વતી ચેરમેન શ્રી વિપુલભાઈ મિસ્ત્રી અને વાઇસ ચેરમેન શ્રી તુષારભાઈ મહેતાએ શ્રી અરવિંદભાઈ ને સન્માન પત્ર શાલ અને શ્રીફળ આપી તેઓને સેવાઓને બિરદાવી હતી. શાળાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક અને વહીવટી કર્મચારીઓએ પણ શ્રી અરવિંદભાઈ ને તેઓની શાળા પ્રત્યે ની નોંધપાત્ર સેવા ની કદર કરતાં તેમના સેવા નિવૃત્તિ સમયે મોમેન્ટો આપી બિરદાવી હતી.

આ પ્રસંગે શાળાના કર્મચારીઓએ તેમજ શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ શુક્લ એ પ્રાસંગિક ઉદ્બોધન માં શાળાના સેવક શ્રી અરવિંદભાઈ ની સેવાઓ ની પ્રશંસા કરી હતી. તેમજ તેમના સેવા નિવૃત્ત જીવન દિર્ધાયુ નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.