ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.