સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા એએસઆઇ શૈલેષકુમાર રાવલની અચાનક અને અણધારી વિદાયથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે જ્યારે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેના આંદોલન સમયે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરીને દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી દેવાઈ હતી. બદલીના ઓર્ડર વખતે પણ સુરેન્દ્રનગર પોલીસમાં અકારણ બદલી કરાયાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. નિવૃત્તિના દોઢ વર્ષ પહેલાં અને બદલીના અંદાજે દોઢ મહિના પછી રાવલનું અવસાન થતાં પોલીસબેડામાં કચવાટ અને ગણગણાટ શરૂ થયો છે.એએસઆઇ શૈલેષકુમાર રાવલના અંતિમ સંસ્કારમાં પોલીસ પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતિમ વિદાય આપી હતી. પોલીસ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં તેમણે કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સહિતના પ્રશ્નો માટે તેમણે ઉપર સુધી લડત ચલાવી હતી. ગ્રેડ પેના સોગંદનામા મુદ્દે ચર્ચામાં આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યાર પછી 5 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા ખાતે તેમની બદલી કરાઈ હતી. પોલીસમાં ચાલતી ચર્ચા પ્રમાણે સજાના ભાગરૂપે તેમની જિલ્લા બહાર બદલી કરાઈ હતી. જોકે, તેઓ રજા પર ઊતરી ગયા હતા. નોકરીનાં દોઢ વર્ષ બાકી હતાં ત્યારે આ રીતે બદલી કરાતાં તેઓ વ્યથિત હોવાની વાત પણ બેડામાં ચર્ચાઈ રહી હતી.જે-તે વખતે તેમની બદલી અટકાવવા રજૂઆતો પણ કરાઈ હતી અને વિવાદ પણ થયો હતો. આ મુદ્દે પોલીસ કર્મચારીઓએ ‘બદલી શા માટે કરવામાં આવી’ તે અંગે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકી વિરોધ પણ દર્શાવ્યો હતો. સાથે જ પોલીસ લાઇન પરિવારે જિલ્લા પોલીસ વડા કચેરીએ હલ્લાબોલ કરી રજૂઆત પણ કરી હતી. દરમિયાન તેમના આકસ્મિક અવસાનથી પોલીસ લાઇન પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર ના નેસડા ગામે ચક્કાજામ કરવામાં આવ્યું હતું
સિહોર જ નહિ પંથકના મોટાભાગના રોડ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ...
लोकसभा चुनाव में मिली हार पर प्रदेश भाजपा में आज भी महामंथन,
लोकसभा चुनाव में मिली हार पर प्रदेश भाजपा में आज भी 'महामंथन' होगा. ऐसे में बीजेपी प्रदेश...
आंतरराष्ट्रीय भरडधान्य वर्षानिमित्त आयोजित परिषदेचे उच्च व तंत्रशिक्षण मंत्र्यांच्या हस्ते उद्घाटन
मुंबई : भरडधान्य हे अन्नाचा एक महत्वाचा स्त्रोत असून खाद्यपदार्थ म्हणून त्याची निवड करणे काळाची...
पिता ने राहुल गांधी से मांगा था समय, तीन महीने तक इंतजार भी किया', चिराग ने बताई रामविलास पासवान के कांग्रेस से अलग होने की वजह
केंद्रीय मंत्री और लोक जनशक्ति पार्टी (रामविलास) के अध्यक्ष चिराग पासवान ने शुक्रवार को बड़ा...
ડીસાના સેવાભાવી યુવકે રખડતાં પશુઓને રેડીયમ બેલ્ટ બાંધ્યા
તહેવારોના સમયમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોને ટાળવા માટે ડીસાના એક યુવકે રખડતા પશુઓને રેડિયમ...