આગામી તા.૨૭ ઓકટોબર, ૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી લાઠી ખાતે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તેમણે તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ના રોજ ૩:૦૦ વાગ્યા સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા તો ટપાલમાં મળી જાય તે રીતે મામલતદાર કચેરી લાઠી ખાતે સ્વીકારવામાં આવશે. સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ ક૨વાના રહેશે. અરજીના મથાળે ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" અવશ્ય લખવું, તેમ મામલતદાર લાઠીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.