રાજુલાનાં બારપટોળી ગામે પ્રેમસંબંધમાં પ્રેમી મિત્રની હત્યાનાં ગુન્હામાં ત્રણ આરોપીઓ જામીન મુક્ત
આરોપીઓ તરફે એડવોકટ બી.આર સિંધવ, એ.બી. શિયાળ અને એસ.એ. વિંછી ની દલીલો નામદાર કોર્ટ એ ગ્રાહ્ય રાખતાં આરોપી જામીન મુક્ત
રાજુલા નાં બારપટોળી ગામે યુવક ની હત્યા ની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૦૧(૨), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૧(૧), ૧૯૧(૩), ૧૯૦, ૬૧ મુજબની ફરિયાદ નોંઘાવેલી હતી. જે કામે રાજુલા પોલીસ તથા એલસીબી અમરેલી દ્વારા અલગ અલગ ૬ આરોપીઓની અટકાયત કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવેલ હતાં જેમાંથી બે આરોપી ને રાજુલા સેસન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. તથા અગાઉ એક આરોપી ને ગુજરાત હાઈકોર્ટે જામીન મુક્ત કરવામાં આવેલ છે
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે રાજુલા તાલુકાનાં જૂની બારપટોળી ગામ નજીક પ્રેમ સમંધમાં પ્રેમી સાથે આવેલ મિત્રની હત્યા નો ગુન્હો દાખલ થયો હતો. જેમાં ખાંભા નાં જામકા ગામ નો યુવક તેના જ ગામનાં મિત્રને જૂની બારપટોળી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીએ મળવા માટે બોલાવતા બંને બાઈક લઈને જૂની બારપટોળી ખાતે ગયા હતા. આ વખતે યુવતી અને તેના મળતીયાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને જૂની બારપટોળીથી નવી બારપટોળી વચ્ચે પહોંચતા રસ્તામાં દુકાન આગળ લોકો લાકડી અને લોખંડની પાઇપો લઈને સંતાયેલા હતા. જેમાં યુવતીનો પારિવારિક સગા ભાઈ તથા દિયર તેમજ અન્ય અજાણ્યા વ્યક્તિ આવી હથિયારો વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. આ વખતે પ્રેમી ખેતરોમાં નાસી છૂટયો હતો. જ્યારે તેનો મિત્ર સાથે લોકોનાં હાથે ચડી જતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મરણજનાર પિતાએ કુલ ૮ વ્યક્તિ સામે રાજુલા પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને ૬ વ્યક્તિઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ આરોપી પૈકી નાં ૧ આરોપીને ગુજરાત હાઈકોર્ટે માંથી જામીન મુક્ત કર્યા હતા તથા જયદિપ ચૌહાણ અને વિપુલ કસોટીયા ને ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજુલા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ હતી જે જામીન અરજીમાં આરોપીઓ વતી રોકાયેલ એડવોકટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ધ્યાનમાં લઈ રાજુલા સેસન્સ કોર્ટે આ કામનાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી યુવા એડવોકેટ ભાવેશ આર. સિંધવ (ભરવાડ), એડવોકેટ અજય શિયાળ, એડવોકેટ સાવજ વિંછી રોકાયેલા હતા
વીરજી શિયાળ