મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટીમોરબી પાલિકામાંથી લોકોને બાંધકામ માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે જોકે, ઘણા બિલ્ડરો કાયદાથી ઉપર હોય તેવી રીતે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ બાંધકામ કરતાં હોય છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-૧ પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના શાંતિલાલ બેચારભાઈ, દિનેશભાઇ જગદીશભાઇ ગામી અને રમેશભાઈ મનજીભાઇ ભટાસણા દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાછળના ભાગમાં રહતા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારિયા દ્વારા તેના ઘરમાં હવા ઉજાશ બંધ થઈ જતો હોવાથી પ્રથમ પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી જો કે, કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ બંધકામને યથાવત સ્થિતિમાં જ રાખવાનું હતું માટે બાંધકામ અટકાવવા પાલિકાએ નોટિસ આપી હતી જો કે, બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી કરીને અરજદાર દ્વારા બહુમાળીમાં બાંધકામ ચાલુ છે તેના વિડીયો ફૂટેજ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા ગેરેકાયદે બંધકામને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે જગ્યાએ બહુમાળીને તોડવાની કામગીરી ચાલુ હતી તેની બાજુમાં જ બીજા બે બહુમાળી બિલ્ડીંગ કોઈપના પ્રકારની મંજૂરી વગર ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીને ધ્યાને આવ્યું હતું જેથી તેને પણ પાલિકામાંથી નોટિસ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यवतमाळ मेडिकल कॉलेजमध्ये
शल्यचिकित्सा विभागातील विद्यार्थ्याची रॅगिंग ; चौकशी साठी चार विभाग प्रमुख डॉक्टरांची समिती गठीत डॉ. मिलींद फुलपाटील, अधिष्ठाता, वैद्यकीय यांची माहिती
यवतमाळ : येथील वसंतराव नाईक शासकीय वैद्यकीय महाविद्यालयात शल्य चिकित्सा विभागाच्या एका...
नए संसद भवन का नाम क्यों बदल रही है सरकार? नया नाम क्या होगा?
नए संसद भवन का नाम क्यों बदल रही है सरकार? नया नाम क्या होगा?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૧૩મો હપ્તો મેળવવા તા.૩૧ સુધીમાં e-KYCની પ્રક્રિયા કરાવવી ફરજિયાત
અમરેલી. તા.૧૩ ડિસેમ્બર (મંગળવાર) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ખેડૂત ખાતેદારને...
વિધાનસભા ચૂંટણીને લઈ ગરમાઈ રાજનીતિ@Sandesh News
વિધાનસભા ચૂંટણીને લઈ ગરમાઈ રાજનીતિ@Sandesh News
સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે બાઈક સાથે તિરંગા યાત્રા યોજાઈ.
સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે બાઈક સાથે તિરંગા યાત્રા યોજાઈ.
આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી ના...